

Swas ane Dhyan-Aditya Vasu in Gujarati
“ધ્યાન... ધ્યાન... ધ્યાન...” અધ્યાત્મ માટેનો જરૂરી રામાર્ગ છે ધ્યાન. અધ્યાત્મના મૂળાક્ષરો અને બારાખડી છે ધ્યાન.
ગુરુએ ફકત એક જ વાત કહેવાની છે – “ધ્યાન ધરો.” - ચેલાએ પણ ફક્ત એક જ વાત કરવાની છે – “ધ્યાનનો મહાવરો વધારો.”
ધ્યાન ધરવા માટેની પહેલી શરત છે પ્રામાણિક્તા અને નિયમિતતા. ધ્યાન ધરવા માટે ગંભીરતા પણ એટલી જ જરૂરી છે.
જેટલું વધુ આપણે ધ્યાન ધરીશું, એટલા સરળ આપણે બનીશું, એટલા વધુ ઊર્જાવાન આપણે બનીશું, એટલા વધુ લાગણીશીલ અને સમજુ આપણે બનીશું. ધ્યાનથી આપણી આભા વધુ આકર્ષક અને વિશાળ બને છે.
આપણું વ્યક્તિત્વ સકારાત્મક અને શૌર્યભરેલું બને છે. આપણે બીજાનાં મંતવ્યોને સરળતાથી સ્વીકારવાં જોઈએ.
જ્યારે આપણે જોશપૂર્વક ધ્યાન ધરીએ છીએ ત્યારે સર્વ જીવો પ્રત્યે ઊંડો સદ્ભાવ આપણામાં ઉદય પામે છે. આપણે કોઈને પણ મદદરૂપ થવા માટે આતુર થઈએ છીએ.
ભૂતકાળ અને ભવિષ્યકાળ આપણને કનડતા નથી. “ધ્યાન ધરો” એ સઘળા ગુરુઓ અને આધ્યાત્મિક સંતોનો વૈશ્વિક સંદેશ છે.
Data sheet