

રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય દિન - માહિતીપૂર્ણ પ્રકાશન
પ્રસ્તાવના
મનુષ્ય ઉત્સવપ્રિય છે, પરંતુ માત્ર ઉત્સવોથી સવાંગી વિકાસ થતો નથી. જ્ઞાન ઉત્તમ છે અને વિકસતા જગતમાં જ્ઞાન-માહિતીના પ્રસાર-પ્રચાર માટે અને જનજાગૃતિ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ વિષયો, બાબતો માટે ખાસ દિન, સપ્તાહ નક્કી થયેલ છે તે માત્ર સ૨કા૨ી રાહે જ ઊજવાય છે અને સંકલિત માહિતી સંબંધિત ખાતા પાસે પણ નથી તેથી ત્રણ વર્ષના સતત પ્રયાસ પછી તમામ દિન-મહિમાનું આ પુસ્તક સંપૂર્ણ માહિતી સાથે જનતાની સેવામાં અર્પણ કરું છું.
વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો સૌ સામૂહિક પ્રયાસ દ્વારા વિશેષ દિન ઉજવણીમાં જોડાય તો તે જનસમાજ અને દેશ-જગતના વ્યાપક હિતમાં જ ઉપયોગી થશે તેથી શિક્ષણસંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ આ પ્રકાશનને આવકારશે તેવી શ્રદ્ધા છે.
આ પુસ્તકના પ્રકાશન માટે નવસર્જન પબ્લિકેશનનો આભારી છું.
બિપીનચંદ્ર વૈષ્ણવ
Data sheet